
એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મૂકાયેલ વ્યકિત ઉપર એ જ ગુના માટે ઇન્સાફી કાયૅવાહી નહી કરવા બાબત
(૧) હકૂમત ધરાવતા કોઇ ન્યાયાલયે એક વખત કોઇ વ્યકિતની કોઇ ગુના માટે ઇન્સાફી કાયૅવાહી કરેલ હોય અને તે ગુના માટે તેને દોષિત ઠરાવેલ હોય અથવા નિદોષ ઠરાવી છોડી મૂકેલ હોય ત્યારે સદરહુ દોષિત ઠરાવ્યાનો કે નિદર્દોષ ઠરાવી છોડી મૂકયાનો હુકમ અમલમાં રહે ત્યાં સુધી તે વ્યકિતએ એજ ગુના માટે તેમજ તેના ઉપર જે ગુનાનું હોમત મૂકવામાં આવ્યું હોય તેથી કોઇ જુદા જ ગુનાનું ત્હોમત એ જ હકીકતો ઉપરથી કલમ-૨૪૪ ની પેટા કલમ (૧) મુજબ મૂકી શકાયું હોત અથવા જુ ગુના માટે તેને તેની પેટા કલમ (૨) હેઠળ દોષિત ઠરાવી શકાયેલ હોત તે ગુના માટે ફરીથી ઇન્સાફી કાયૅવાહી થવાને પાત્ર થશે નહી.
(૨) કોઇ ગુના માટે નિદૅષ ઠરાવાઇ છોડી મૂકાયેલ કે દોષિત ઠરેલ વ્યકિત ઉપર તેની સામે થયેલી અગાઉની ઇન્સાફી કાયૅવાહીમાં કલમ-૨૪૩ની પેટા કલમ (૧) હેઠળ જે જુદા જ ગુના માટે અલગ ત્હોમત મૂકી શકાયું હોત તે ગુના માટે રાજય સરકારની સંમતિથી તેની સામે પાછળથી ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.
(૩) કોઇ વ્યકિત એવા કોઇ કૃત્યથી બનતા ગુના માટે દોષિત ઠરે કે જેના પરિણામો તે કૃત્યો સાથે ધ્યાનમાં લેતા જેને માટે તે દોષિત ઠરેલ હોય તે ગુના કરતાં જુદો જ ગુનો બનાવતી હોય ત્યારે જો પરિણામે તે દોષિત ઠરતી વખતે આવેલા ન હોય અથવા તે આવ્યાની ન્યાયાલયને જાણ ન હોય તો તેની એવા ઉપયૅકત જુદા ગુના માટે પાછળથી ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.
(૪) કોઇ કૃત્યોથી બનતા કોઇ ગુના માટે નિદોષ ઠરી છોડી મૂકાયેલ અથવા દોષિત ઠરેલ વ્યકિત ઉપર એવા છૂટકારા કે ગુના સાબિતી છતા તેણે કરેલ તે જ કૃત્યથી બનતા બીજા કોઇ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા તેની સામે પ્રથમ ઇન્સાફી કાયૅવાહી કરનાર ન્યાયાલયની ન હોય તો તે બીજા ગુનાનું ત્હોમત મૂકીને તેની સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.
(૫) કલમ-૨૮૧ હેઠળ છોડી મૂકાયેલ વ્યકિતની તેને છોડી મુકનાર ન્યાયાલયની અથવા તે ન્યાયાલય જેની સતા નીચે હોય તે બીજી ન્યાયાલયની સંમતિ વિના તે જ ગુના માટે ફરી ઇન્સાફી કાયૅવાહી થઇ શકશે નહી.
(૬) સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ (૧૮૯૭નો ૧૦મો) ની કલમ-૨૬ની અથવા આ સંહિતાની કલમ-૨૦૮ની જોગવાઇઓને આ કલમમાંના કોઇપણ મજકૂરથી અસર થશે નહી.
સ્પષ્ટીકરણ.- કોઇ ફરિયાદ કાઢી નાખવી અથવા આરોપીને છોડી મૂકવો તે આ કલમના હેતુઓ માટે નિદર્દોષ ઠરાવીને છોડી મૂકવા બરાબર નથી.
Copyright©2023 - HelpLaw